ઉત્તર પ્રદેશ-

સુપ્રીમ કોર્ટમાં સોમવારે લખીમપુર ખેરી હિંસા કેસની સુનાવણી થઈ. આ દરમિયાન CJI એનવી રમનાએ સાક્ષીઓ અને પોલીસ કસ્ટડી સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા. કોર્ટમાં સરકાર વતી એડવોકેટ હરીશ સાલ્વે હાજર થયા હતા. તેમણે કહ્યું કે અમે એફિડેવિટ દાખલ કરી છે. જેમાં સીઆરપીસીની કલમ 164 હેઠળ 68માંથી 30 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. તેમાં 23 પ્રત્યક્ષદર્શીઓ પણ છે. સાલ્વેએ કહ્યું કે ડિજિટલ મીડિયા પર ઉપલબ્ધ વીડિયો દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

આ મામલામાં તમામ પ્રાદેશિક લોકો સામેલ થયા હશે, તેથી તેમને ઓળખવામાં વધારે મુશ્કેલી ન થવી જોઈએ. ત્યારે સાલ્વેએ કહ્યું કે બહારના લોકો સિવાય કારની અંદર રહેલા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે. CJIએ કહ્યું કે દરેક પાસાઓ અને શક્યતાઓ અન્વેષણ કરો. જ્યારે તમારી પાસે 23 સાક્ષીઓ હોય, ત્યારે આગળ વધો. સાલ્વેએ કહ્યું કે હું આ કેસ સાથે સંબંધિત પુરાવા સીલબંધ કવરમાં ફાઇલ કરવા માંગુ છું.

સાક્ષીઓને સુરક્ષા આપવામાં આવી 

CJI NV રમણાએ કહ્યું કે આ મામલે વધુ કોઈ પ્રશ્ન ઉભો થવો જોઈએ નહીં. આ બહુ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે સ્થળ પર 100 થી વધુ ખેડૂતો હાજર હતા, તેથી માત્ર 23 પ્રત્યક્ષદર્શીઓ સામે આવ્યા. સીજેઆઈએ પૂછ્યું કે શું કોઈ સાક્ષી છે જે ઘાયલ થયો છે.  CJIએ કહ્યું કે સાક્ષીઓનું રક્ષણ જરૂરી છે. શું આપણે ઓર્ડર જારી કરીશું? સાલ્વેએ કહ્યું કે તેમને સુરક્ષા આપવામાં આવી રહી છે. જિલ્લા ન્યાયાધીશે પહેલાથી જ સાક્ષીઓને રક્ષણ આપવાનો આદેશ આપ્યો હતો.

રમણ કશ્યપનો રિપોર્ટ મંગાવ્યો

સીજેઆઈએ યુપીનો બીજો સ્ટેટસ રિપોર્ટ રેકોર્ડ પર લીધો અને રાજ્ય સરકારને આ મામલે વધુ જાણ કરવાનો નિર્દેશ આપ્યો. આ સાથે તેમણે કહ્યું કે સાક્ષીઓને યોગ્ય સુરક્ષા આપવામાં આવે. મૃતક રમણ કશ્યપના મોત અંગે યુપી સરકાર પાસેથી રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 8 નવેમ્બરે થશે.