નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી પોરબંદરની 5 ફિશિંગ બોટના લાયસન્સ રદ કરાશે
25, ડિસેમ્બર 2020

પોરબંદર-

ભારતીય જળ સીમા પર અનેક વાર માછલી મેળવવાની લાલચે ભારતીય માછીમારો સીમાની બહાર જતા રહેતા હોય છે. ત્યારે મત્સ્યોદ્યોગ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. ભારતીય જળ સીમા નજીક નો ફિશિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઝોનમાં માછીમારી કરતી પાંચ બોટ મત્સ્યોદ્યોગના નજરે આવી છે. એટલે હવેપ પોરબંદરની આ પાંચ બોટના લાયસન્સ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મત્સ્યદ્યોગ કચેરીના અધિકારી ગોહિલના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં પોરબંદરની કુલ 26 ફિશિંગ બોટ સામે નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. અનેક વાર જાણ કરવા છતા માછીમારો વધુ માછલી મેળવવા માટેની લાલચે અહીં જતા હોય છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે .હાલમાં પોરબંદર ની આ પાંચ બોટના લાયસન્સ રદ થશે. દરિયામાંથી વધુ માછલી પકડવાની લાલચમાં કેટલીક વાર માછીમારો સીમા ઓળંગી જતા હોય છે. એટલે ભારતીય નેવી દ્વારા દરિયામાં અમુક જગ્યાને નો ફિશિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી પોરબંદરની પાંચ ફિશિંગ બોટના લાયસન્સ રદ કરવામાં આવશે. મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution