બોટાદ, ગઢડામાં આવેલા મઘરીયા ખોડિયાર માતાના મંદિરની બહાર જ એક પ્રેમી પંખીડાઓએ આપઘાત કરી લીધો છે. પોતાના પ્રેમને અંજામ સુધી ન પહોંચાડી શકવાના કારણે યુવક-યુવતીઓએ આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. જાેકે, યુવક પાસેથી મળી આવેલા આધારકાર્ડના આધારે તેની ઓળખ થઈ છે. યુવતીએ બ્લેકકલરનો ડ્રેસ પહેર્યો હતો જ્યારે યુવકે લાલ શર્ટ પહેર્યો હતો. બંને પ્રેમીઓએ પહેલા દર્શન કર્યા હોય અને બાદમાં આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રેમીઓ અગાઉ પણ આવી રીતે મંદિરમાં લગ્ન કરી અને આપઘાત કરી લેતા હોવાના બનાવો આવ્યા છે જાેકે, આ કિસ્સામાં એવું કઈ સામે આવ્યું નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પ્રેમીઓ દોરી સાથે લીમડાના વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. આધારકાર્ડના આધારે યુવકની ઓળખાણ થઈ જતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી અને આ દિશામાં તપાસ શરૂ કરાવી છે. જાેકે, યુવતી કોણ છે તેના અંગે કોઈ માહિતી મળી શકી નથી. યુવકની આધારકાર્ડના આધારે શક્તિના નામે ઓળખ થઈ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments