ઈન્દોર-

કોરોના માત્ર શહેરો પર જ નહિં હવે ગામડાઓમાં કહેર બનીને તૂટી પડયો છે. મધ્યપ્રદેશના ઈન્દોર જીલ્લામાં ગ્રામીણ ક્ષેત્રમાં બુધવારે એક જ દિવસમાં 162 કોરોના દર્દીઓના મોત નિપજયા હતા.ઈન્દોર જીલ્લાનાં સાવેર વિકાસ ખંડમાં અત્યાર સુધીમાં સર્વાધિક 167 મોત નોંધાયા છે. વિકાસ ખંડમાં 21, ઈન્દોરમાં 17 અને દેપાલપુરમાં 10 ના મોત થયા હતા. જીલ્લાની 312 ગ્રામ પંચાયતમાંથી અત્યાર સુધીમાં 249 કોરોના પોઝીટીવ જાહેર થયા હતા.