અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1136 થી વધુ નોંધાયા છે. જેની સામે 1201 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3670 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1136 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,64,121 થયો છે. તેની સામે 1,46,308 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,64,121 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,143 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,64,121 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,143 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 72 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,071 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,46,308 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3670 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.