ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1191 થી વધુ પોઝીટીવ કેસ, 11 ના મોત
17, ઓક્ટોબર 2020

ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1191 થી વધુ નોંધાયા છે. જેની સામે 1279 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 11 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3620 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1191 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,57,474 થયો છે. તેની સામે 1,39,449 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,57,474 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,705 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,57,474 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,705 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 92 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,613 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,39,449 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3620 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution