ગોંડલ, શિયાળાની શરૂઆતમાં ગોંડલ પંથકમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના આંટા ફેરા વધી જતા હોય છે. દરમિયાન ગોંડલ તાલુકાના ડૈયા ગામે પશુપાલકના ૨૫થી વધુ ઘેટાના મોત નીપજતા વનવિભાગે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગના પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તાલુકાના ડૈયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નાજાભાઇ ઝાપડાએ પોતાના ૨૫થી વધુ ઘેટાઓને વાડામાં ખુલ્લા રાખ્યાં હોતા. દરમિયાન મંગળવાર સવારે ૨૫થી વધુ ઘેટાના મોત નીપજેલા જણાતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જાઈ તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. હાલ કોઈ વન્ય પ્રાણીના સગડ મળ્યા નથી. જંગલી શ્વાનના બીકથી પણ ઘેટાઓના એક સાથે મોત નીપજતા હોય છે. બંને દિશામાં વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments