AAP પાર્ટીના 50 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, સતત તૂટતા આમ આદમી પાર્ટીના કાર્યકરો
07, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીમાં એક સાંધો અને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટીના અંદાજિત 50 થી વધારે કાર્યકર્તાઓ ગોરધન ઝડફિયા અને પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, થોડીક સીટ જીતી જવાથી ગુજરાત જીતી શકાતું નથી. તેના માટે કામ કરવું પડે છે. નાના કામો રહી જાય તો ચાલે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચવી જોઈએ. આમ આદમી પાર્ટીના કાર્યકરો સોમવારે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના અંદાજિત 50 થી વધારે કાર્યકર્તા ગોરધન ઝડફિયા અને પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution