મુંબઈ-

મુંબઈમાં આજ રાતના 8 વાગ્યાથી કડક પાબંધીઓ પણ આ લોકોને તેમનું કામ કરવાની છૂટ મળી મળી છે. મુંબઈમાં કડક પાબંધીઓની વચ્ચે ઘરેલુ કામ કરનાર લોકોને તેમનું કામ ચાલુ રાખવા દેવાની મંજૂરી અપાઈ છે. 

મુંબઈ સિવિક ચીફ આઈએસ ચહલે જણાવ્યું કે ઘરેલુ કામ લોકોને બિના રોકટોક જવા દેવામાં આવશે. આ લોકો પર કોઈ પ્રતિબંધ નહીં રહે. રાતના 8 વાગ્યા પછી લાગુ પડી જશે. બ્રેક ધ ચેન. ચહલે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ઘરેલુ કામ કરનાર લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. બીએમસી એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે મુંબઈના રહેવાશીઓ માટે સ્પસ્ટીકરણ તરીકે નવા આદેશો જારી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આજ રાતના 8 વાગ્યાથી કડક પાબંધીઓ લાગુ પડશે સીએમ ઉદ્ધવ ઠાકરેની જાહેરાત બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં આજ રાતના 8 વાગ્યાથી કડક પ્રતિબંધો લાગુ પડી રહ્યાં છે.

- ઈ-કોમર્સ અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. હોટલ ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા ચાલુ રહેશે.

- મહારાષ્ટ્રમાં 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવાની CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

- 3300 કરોડની રકમ કોવિડ સુવિધા માટે ફાળવાઈ છે.

5500 કરોડનું પેકેજ તૈયાર કર્યુ છે : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ આપવાની CM ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત. રિક્ષાવાળાઓને પણ 1500 રૂપિયાની મદદ અપાશે. આ ઉપરાંત આદિવાસીઓને પણ 2000 રૂપિયાની આર્થિક મદદ કરાશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે 3300 કરોડ રૂપિયા માત્ર કોવિડ સંબંધિત સુવિધાઓ માટે અલગથી રાખ્યાં છે. 5500 કરોડ આર્થિક મદદનું પેકેજ ઉદ્ધવ સરકારે તૈયાર કર્યુ છે.