જેલની બહાર આવ્યા બાદ મુન્નાવ્વર ફારુખી બોલ્યો, કાયદા પર વિશ્વાસ છે
07, ફેબ્રુઆરી 2021

દિલ્હી-

સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકીને શનિવારે મોડી સાંજે સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હાસ્ય કલાકાર મુનાવર ફારૂકીએ બહાર આવ્યા બાદ કહ્યું કે મને કાયદામાં પૂરો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે જેમણે મારા માટે અવાજ ઉઠાવ્યો છે તેમના આભાર, હું હમણાં આ વિષય પર ટિપ્પણી કરવા માંગતો નથી. આ મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે. 

નીચલી અદાલતો તરફથી બેલની અરજી નામંજૂર થતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ જેલ વહીવટીતંત્રે તેને મુક્ત કરતાં ઇનકાર કરતાં કહ્યું કે તેમને હજી સુધી કોર્ટની નકલ મળી નથી, જોકે મોડી રાત્રે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. મુનાવર જેલ છોડ્યા બાદ મુંબઈ રવાના થયા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution