અંક્લેશ્વર, અંકલેશ્વરના ઉમરવાડા ગામ ખાતે પોતના પુત્ર પર આડા સંબંધની શંકા કરતા મહિલા ના પતિને સમજાવા જતા પિતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉમરવાડા ગામ ના જાેષી ફળીયા માં રહેતા કિશન કાલિદાસ વસાવાને પોતાની પત્ની સાથે ફળીયા માં રહેતા વિરલ નવીનભાઈ વસાવા ને આડા સંબંધ હોવાની શંકા હતી,જે બાબતને લઈને તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જાેકે વિરલ વસાવા ના પિતા નવીન વસાવા ઉ.વ.૪૮ ના ઓ આ ઝઘડામાં મધ્યસ્થી કરવા માટે આવ્યા હતા,પરંતુ ઉશ્કેરાયેલા કિશન વસાવા એ લાકડા નું પાટીયુ નવીન વસાવાના માથામાં મારી દીધુ હતુ. ઇજા ને પગલે નવીન વસાવાનું મોત નિપજ્યુ હ્‌તુ. ઘટના બાદ કિશન ફરાર થઇ ગયો હતો.અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ દર્જ કરીને ફરાર આરોપી કિશન વસાવા ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.