મુઝફફરનગર-

અહીંની કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિતનું મોત થઇ જતા પરિવારજનોએ સારવારમાં લાપરવાહીનો આરોપ લગાવીને હંગામો કર્યો હતો. આ દરમિયાન ફાયરીંગ પણ થયું હતુ. આ હોસ્પિટલમાં બુધવારે 85 વર્ષીય નરેન્દ્ર ગુપ્તાને કોરોનાને લઇને દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતુ. આ મામલે પરિવારજનોએ લાપરવાહીનો આરોપ લગાવી હંગામો કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા બે લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જેનો હિસાબ સ્ટાફે તેમની સાથે મારામારી કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે ડોકટર ડી.કે. સૈનીના ભાઇએ પરિવારજનો પર ફાયરીંગ કર્યુ હતું જોકે કોઇને ઇજા નહોતી થઇ. આ કિસ્સામાં પોલીસે મૃતકના પરિવારજનોને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.