નવસારી: મતદારોને રિઝવવા સી. આર. પાટીલનો રોડ શૉ
26, ફેબ્રુઆરી 2021

નવસારી-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ફક્ત બે દિવસો રહ્યા છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે નવસારી ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં નવસારીની કૃષિ યુનિવર્સિટીથી શહેરના રાજમાર્ગો પર થઈને ઈટાળવાના બી. આર. ફાર્મ સુધીના રોડ શૉ યોજવામાં આવ્યો છે. આજે પ્રચારના અંતિમ દિવસે નવસારી પાલિકામાંથી મિની કોર્પોરેશન બનેલી નવસારી-વિજલપોર નગરપાલિકામાં જીત મેળવવાના ઈરાદા સાથે શહેરના 2 લાખથી વધુ મતદારોને રિઝવવાનો પ્રયાસ કરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને માત્ર બે દિવસ બાકી છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રચાર માટે નવસારી પહોંચ્યા હતા. અહીં તેમણે રોડ શૉ યોજ્યો હતો. નવસારીની કૃષિ યુનિવર્સિટીથી શરૂ થયેલો આ રોડ શૉ ઈટાવળાના બી. આર. ફાર્મ ખાતે પૂર્ણ થયો હતો. રોડ શૉ દરમિયાન સી. આર. પાટીલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution