16, જાન્યુઆરી 2021
દિલ્હી-
નેપાળના વિદેશ મંત્રી પ્રદીપકુમાર જીવાલી આજે સવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. આ અગાઉ નેપાળના વિદેશ મંત્રી દેશના વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. બંને દેશોના સંયુક્ત આયોગની બેઠક જેસીએમ ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના તમામ પરિમાણો પર ચર્ચા કરવામાં આવી હતી. તેનાથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે.