દિલ્હી-

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ભારતથી આવતા લોકોને પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દિવસો દરમિયાન ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ તેમના દેશ પરત ફરી શકશે નહિ. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડેને જાહેરાત કરી છે કે, 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ભારતથી આવતા લોકો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ નિયમો 11 એપ્રિલના રોજ ન્યુઝીલેન્ડમાં સાંજે 4 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. 

ભારતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થવાની સાથે સાથે વિશ્વવ્યાપી વેક્સિનના પુરવઠા પર પણ કટોકટી સર્જાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત પ્રોગ્રામ દ્વારા ભારતના એક વેક્સિન ઉત્પાદક પાસેથી સપ્લાયના નવ કરોડ ડોઝ મેળવવામાં વિલંબ થયો હોવાની જાહેરાત કરવામાં આવી છે.દેશમાં કોરોનાના વધતા જતા કેસની આડઅસર દેખાવા લાગી છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ભારતથી આવતા લોકોને પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી અમલમાં રહેશે.