અમદાવાદ-

કોરોનાને કારણે અમદાવાદની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોવાના કારણે એક પછી એક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જે હેઠળ શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જે પછી સોમવારથી રાતના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે. આ જાહેરાત બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રહેશે. આ ઉપરાંત નાઈટ કર્ફ્યૂ રહે ત્યાંસુધી રાતના 9 વાગ્યા પછી શહેરમાં ST બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.

બહારગામથી અમદાવાદ થઈને જતી બસો બાયપાસ થઈને જતી રહેશે. જ્યારે અમદાવાદમાંથી રાતે ઉપડતી 350 જેટલી બસોને બંધ રાખવાનો નિર્ણય એસટી વિભાગે લીધો છે. આ ઉપરાંત શહેરોમાં કોરોના વકરતો અટકાવવા અન્ય મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.