દાહોદ
દાહોદ અનાજ માર્કેટના પાછળના ભાગની નદી તરફની કમ્પાઉન્ડ વોલમાં બાકોરું પાડી ગત રાતે દાહોદ અનાજ માર્કેટમાં ઘૂસી આવેલા તસ્કરોએ અનાજ માર્કેટ ના બે વેપારીઓની દુકાનને નિશાન બનાવી બંને દુકાન માંથી મળી કોલ રૂ.૧,૦૮,૦૦૦/- ની મત્તા ચોરીને લઇ ગયાનું જાણવા મળ્યું છે.
દાહોદ અનાજ માર્કેટની પાછળના ભાગે નદી તરફની કમ્પાઉન્ડ વોલમાં મોટું બાકોરું પાડી તે બાકોરા માટે અનાજ માર્કેટમાં પ્રવેશ્યા હતા અને અનાજ માર્કેટમાં આવેલ અનાલ ભાઈ ઈકબાલભાઈ ખરોદા વાલા તથા કુત્બુદ્દીનભાઈ એમ બે વેપારીઓની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી અને અનાલભાઈ ઈકબાલભાઈ ખરોદા વાલાની દુકાનની બારીની ગ્રીલ તોડી તે વાટે તસ્કરો બે દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાંની નાની તિજાેરી તોડી તેમાં મુકેલ મોટી તિજાેરીની ચાવી કાઢી તે ચાવી વડે મોટી તિજાેરી ખોલી તેમાં મુકેલ રૂપિયા ૫૦,૦૦૦/-ની રોકડ તેમજ દુકાનમાં મુકેલ રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતના જુના લેપટોપ નંગ-૨ રૂ.૩૦,૦૦૦/- ની કિંમતના જુના ડેસ્ક ટોપ નંગ બે તથા કુત્બુદ્દીનભાઈની દુકાનના દરવાજાનું તાળું તોડી તે વાટે દુકાનમાં પ્રવેશી દુકાન માં મુકેલ રૂપિયા ૧૪,૦૦૦/-ની કિંમતના જુના લેપટોપ નંગ-૨ મળી બંન્ને દુકાનોમાંથી કુલ રૂ.૧,૦૮,૦૦૦/- ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે દાહોદ અનાજ માર્કેટના વેપારી અનાલભાઈ ઈકબાલભાઈ એ ફરિયાદનોધાવી હતી
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments