લાશો પર રાજનીતિ કરવાનું કોઇ ધરતીના પરના ગીધો પાસેથી શીખે: રાહુલ ગાંધી
27, મે 2021

દિલ્હી-

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં થયેલી જાનહાનિને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાથી મોતના સરકારી અને અંદાજિત આંકડા સાથે જાેડાયેલા ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક સમાચાર શેર કર્યા છે. રાહુલની આ ટ્‌વીટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પલટવાર કર્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાહુલ ગાંધીની ટ્‌વીટના રિપ્લાયમાં કહ્યુ કે લાશો પર રાજનીતિ કોંગ્રેસ સ્ટાઈલ. વૃક્ષો પરથી ગીધ ભલે લુપ્ત થઈ રહ્યા હોય. પરંતુ લાગી રહ્યુ છે કે તેમની ઉર્જા ધરતીના ગીધોમાં સમાઈ ગઈ હોય. રાહુલ ગાંધી જીને દિલ્હીથી વધારે ન્યૂયોર્ક પર ભરોસો છે. લાશો પર રાજનીતિ કરવાનું કોઈ ધરતીની ગીધોથી શીખે. હકિકતમાં રહુલા ગાંધી એ ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક સમાચારને શેર કરતા ટ્‌વૂીટ કર્યુ હતુ કે નંબર ખોટુ નથી બોલતા. ભારત સરકાર બોલે છે. વિદેશી અખબારના આ સમાચારમાં દાવો કરવામા આવ્યો છે કે કેન્દ્ર સરકારના આંકડા અને હકિકતમાં ઘણુ અંતર છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution