ગાંધીનગર-

સમગ્ર ગુજરાત છેલ્લા 15 વર્ષથી કરફ્યુ મુક્ત બન્યું છે. ત્યારે હજુ પણ ગુજરાતની સલામતી જળવાઈ રહે અને પાસા એક્ટ નો રાજકીય દુરુપયોગ અમારી સરકાર નહીં કરે તેવો વિશ્વાસ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યો છે. ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત નું સુધારા વટહુકમના મંજુર કરતો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ નામંજુર કરવા માટે કરેલા પ્રસ્તાવ નો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના ઉત્તરમાં રાજકીય નિવેદન કરતા ગૃહમાં કોંગ્રેસના સભ્યો અકળાયા હતાં, પરિણામે ગૃહ નું વાતાવરણ તંગ બન્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત સરકારે લાવેલ આ સુધારા વટહુકમને ના મંજુર કરતો પસ્તાવો વ્યક્ત કર્યો હતો જેમાં તેમણે આ વટહુકમ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે અને આજે પણ ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જોકે પોલીસને ખબર હોવા છતાંય સત્તાના કારણે આવા પ્રકારના અડ્ડાઓ બંધ થતા નથી તો બીજી તરફ વ્યાજખોરોનો ત્રાસ પણ વધી ગયો છે જેના કારણે કેટલાય નાગરિકોના અપહરણ થાય છે અને વધુ વ્યાજ વસૂલ કરવા માટે ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ તબક્કે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પાસા એક્ટ ના નામે રાજકીય વિરોધીઓ ને દૂર કરવાની દહેશત સમાજમાં ઊભી થઈ છે જોકે રાજ્યના મંદિરોમાં સાધુઓની લવસ્ટોરીના કિસ્સાઓ પણ દિન-પ્રતિદિન વધતા ગયા છે અને શોષિત વ્યક્તિઓ પોલીસ પકડથી કેમ દૂર રહ્યા છે ? તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો આ ઉપરાંત સરકાર ની આડે હાથ લેતા ઈમરાન ખેડાવાલા એ એવો આક્ષેપ કર્યો હતો કે આજે લાંચ લેતા પકડાયેલા સરકારી અધિકારીઓ પાસેથી પોલીસ પૈસા લઈને કેસ રફેદફે કરે છે એટલું જ નહીં કેટલાક કિસ્સાઓમાં તો વધુ પૈસા લેવા માટે પોલીસ પાસા ના નામે ડરાવતી હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો.