દિલ્હી-

દેશના અનેક ભાગોમાં કોરોનાનો કોહરામ યથાવત છે. સાથોસાથ ઓકસીજનની અછતનો હોબાળો છે તેવા સમયે સરકારે ઓકસીજન સપ્લાય કરતા વાહનો પર કોઈ નિયંત્રણો નહીં રાખવા કે કયાંય નહીં રોકવાનો આદેશ જારી કર્યો છે. દેશના તમામ રાજયો તથા કેન્દ્રશાસીત પ્રદેશને આપેલા આદેશમાં ઓકસીજન સપ્લાય માટે પરિવહનમાં કોઈ વિધ્ન ન સર્જાય તે જોવાની ખાસ તાકીદ કરી છે. મેડીકલ ઓકસીજનના પરિવહનમાં કોઈ અવરોધ ન આવે તે જોવા જીલ્લા કલેકટરો, પોલીસ કમિશ્ર્નર તથા જીલ્લા પોલીસ વડાઓને સુચના આપવા તાકીદ કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો પણ ફરી લાગુ કરવામાં આવ્યો છે.