દિલ્હી-

રાજસ્થાનની રાજકીય ખેચતાણં સતત વધી રહ્યો છે. અશોક ગેહલોત વિ સચિન પાયલોટ વચ્ચેની રાજકિય લડાઇ શાંત નામ નથી લઈ રહી અને તે દરમિયાન ગુર્જર સમાજના લોકો પણ સચિન પાયલોટના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવી ગયા છે. સચિન પાયલોટના સમર્થનમાં હરિયાણાના ગુરુગ્રામમાં પંચાયત યોજાશે, જેમાં ઘણા રાજ્યોના ગુર્જર સમાજના લોકો શામેલ હશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પંચાયત 26 જુલાઈએ ગુરુગ્રામના રિથૌજ ગામે યોજાશે. તેમાં હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ગુર્જર સમુદાયના લોકો શામેલ હશે, જેમાં સચિન પાયલોટના ટેકા વિશે વાત કરવામાં આવશે.