લોકોના સ્વાસ્થય સાથે ચેડા: આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓનો કારોબાર, અહી ઝડપાયું મોટું કૌભાંડ
03, સપ્ટેમ્બર 2021

રાજકોટ-

કોરોના કાળમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા લોકો હવે બે નકાબ થઈ રહ્યા છે. ત્યારે હવે વઝુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓ લોકોને આપીને તેમના સ્વાસ્થય સાથે ચેડા કરતા લોકોને ઝડપવામાં સફળતા મળી છે. ત્યારે મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં એક્સપાયરી ડેટની દવાઓ રીપેક કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાની ઘટના બહાર આવી છે. રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં SOGએ પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. ત્યાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાઓને આર્યુવેદિક દવાના લેબલ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે વેચવાનું કૌભાંડ રાજકોટ એસઓજી પોલીસે ઝડપી પાડયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution