જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાને લઈને પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક
29, જુન 2021

દિલ્હી-

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે પીએમ મોદીની આ બેઠક ડ્રોન દ્વારા જમ્મુ એરબેઝ પર થયેલા આતંકી હુમલાના બે દિવસ બાદ થઈ રહી છે. આ બેઠક સાંજે 4 વાગ્યાથી ચાલુ છે.

રવિવારે રાત્રે જમ્મુના એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટથી છતને નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ પહેલો ધડાકો બપોરે 1:37 વાગ્યે થયો હતો અને બીજો બરાબર 5 મિનિટ પછી બપોરે 1:42 વાગ્યે થયો હતો. વિસ્ફોટમાં બે જવાનોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ પહેલીવાર હતું જ્યારે આતંકવાદીઓએ ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. હવે એનઆઈએ આ મામલે તપાસ કરી રહી છે.

સૈન્ય મથક પર હુમલો કરવાનો થયો હતો પ્રયાસ

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક થયાના બીજા જ સોમવારે આતંકવાદીઓએ પણ સૈન્ય સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે ત્રણ વાગ્યે જમ્મુના કાલુચક લશ્કરી સ્ટેશન પર બે ડ્રોન નજરે પડ્યા હતા. એરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યા પછી,એલર્ટ સેનાએ તેને જોઈને ડ્રોન પર 20 થી 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ ડ્રોન ગાયબ થઈ ગયા. જે બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક સૈન્ય સ્ટેશનની બહાર સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution