સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અગાઉ પીએમ મોદીના જય સોમનાથ
21, નવેમ્બર 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે પહોંચી ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી હતી. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અભિષેક કર્યો હતો. તેમજ પૂજા અર્ચનાામાં લીન થયા હતા. તેમણે ભગવાન ભોલાનાથ પાસે ગુજરાતમાં શાંતિ સમૃદ્ધિ અને વિકાસની યાચના કરી હતી. તેઓ હવાઈ માર્ગે ઉતર્યા હતા. જ્યાં સોમનાથ મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં અનેક લોકો નરેન્દ્ર મોદીની રાહ જાેઈને ઉભા હતા. આ તમામ લોકોનું નરેન્દ્ર મોદીએ હાથ ઉંચા કરીને અભિવાન કર્યું હતું. ત્યારબાદ તેમણે સૌરાષ્ટ્ર ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution