PM નરેન્દ્ર મોદી, અમિત શાહે દેશવાસીઓને મકરસંક્રાંતિ અને લોહડી પર્વ નિમિતે શુભેચ્છા પાઠવી
14, જાન્યુઆરી 2021

દિલ્હી-

આજે દેશભરમાં મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. આ શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના નિવૃત્ત સૈનિકોએ દેશને શુભેચ્છા પાઠવી છે. દેશભરમાં દર વર્ષે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આ તહેવારને લઈને દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, કોરોનાને સાવચેતીના પગલારૂપે આ વર્ષે તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવી છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "મકરસંક્રાંતિ પર દેશવાસીઓને અભિનંદન. હું ઇચ્છું છું કે ઉત્તરાયણ સૂર્ય દેવ બધાના જીવનમાં નવી ઊર્જા અને નવો ઉત્સાહ પેદા કરે. આ દરમિયાન મંત્રી અમિત શાહે ટ્વિટર પર એક કાર્ડ પણ શેર કરીને દેશવાસીઓને મકરસંક્રાંતિ પર અભિનંદન પાઠવ્યા છે. આ કાર્ડ દ્વારા તેમણે આ શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

 ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે આજે દેશમાં લોહડીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા દિગ્ગજોએ આ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને દેશવાસીઓને અભિનંદન આપતાં લખ્યું કે,’લોહડી, મકરસંક્રાંતિ, પોંગલ, ભોગાલી બિહુ અને પોષ પર્વ નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે, આ તહેવારો દ્વારા આપણા સમાજમાં પ્રેમ, સ્નેહ અને સંવાદિતાનું બંધન મજબૂત બને અને દેશમાં સમૃદ્ધિ અને ખુશી વધે. ‘ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના અભિનંદન સંદેશમાં લખ્યું કે, ‘લોહડીની હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ તમામ દેશવાસીઓના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution