અમદાવાદ-

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઇન્ફેકશન થતા અમદાવાદની કે ડી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ તેઓને માત્ર ફેફસાનું ઇન્ફેકશન છે. તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. પોલીસ કમિશનરને તાવ આવ્યાં પછી ફેફસાંનું ઈન્ફેક્શન હોવાનું જણાતાં કે.ડી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તબિયત સુધારા પર છે. શહેર પોલીસના ઊચ્ચ સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતને કોરોના થયો નથી અને ફેફસાંના ઈન્ફેક્શનની સારવાર પછી તબિયત સુધારા પર છે.