પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઇને રાજકિય પક્ષોએ કમર કસી, મમતાદીની આજે પદયાત્રા
29, ડિસેમ્બર 2020

કોલકત્તા-

પશ્ચિમ બંગાળમાં રણભેરીની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ કમર કસી છે. બુધવારે રાજ્યના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પ્રચાર માટે બીરભૂમમાં પહોંચ્યા હતા. મમતા બેનર્જી અહીં પદયાત્રા કાઢી રહી છે, ત્યારબાદ તે ચૂંટણી સભાને પણ સંબોધન કરશે.

બીરભુમના બોલપુરમાં મમતા બેનર્જી પદયાત્રા કાઢી રહ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં ટીએમસી સમર્થકો એકઠા થયા છે. ખાસ વાત એ છે કે બીરભૂમમાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહે પણ એક રોડ શો કર્યો હતો.  મમતા બેનર્જીની આ પદયાત્રા પણ વિશેષ જોવા મળી રહી છે, કારણ કે આખી પદયાત્રામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોવા મળી રહ્યા છે. ઉપરાંત, આ સમગ્ર પદયાત્રામાં બંગાળી સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution