પૂ. વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં જળસંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
21, જાન્યુઆરી 2021

વડોદરા

પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી જળસંરક્ષણ અભિયાન તેમજ ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી ગુજરાતના અલગ અલગ ગામો, શહેરોમાં આ અભિયાન કાર્યરત થયું છે અને ૩૫,૦૦૦ ઘરોમાં જળસંરક્ષણ માટેની જાગૃતિ લાવવાની નેમ સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત માંજલપુરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે જળસંરક્ષણ કરવું એ પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે. ફર્રૂંએ ભારતની પહેલી દ્ગય્ર્ં છે કે જે ઘર-ઘરમાં “જળસંરક્ષણ” કરવાનું અભિયાન હાથ ધર્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution