દિલ્હી-

રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ આજે પુલવામા આતંકી હુમલામાં ચાર્જશીટ ફાઇલ કરવા જઈ રહી છે. આ હુમલા અંગે એનઆઈએએ મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મદદથી પાકિસ્તાનના બહાવલપુરમાં પુલવામામાં ફિદાઈન હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હતી. તેમની તપાસ બાદ એનઆઈએ 13 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવા જઈ રહી છે.