રાજકોટ-
શહેરમાં અગાઉ 10 સ્થળોએ વેક્સિન આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી તેમાં ફેરફાર થયો છે. આમાં રાજકોટ શહેરમાં 6 સ્થળોએ જ્યારે રાજકોટ જિલ્લામાં 3 સ્થળોએ વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લામાં ગોંડલ, જેતપુર, જસદણ ખાતે વેક્સિન આપવામાં આવશે. રાજકોટમાં વેક્સિન પ્રક્રિયાને લઈને કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ 6 આરોગ્ય કેન્દ્ર ખાતે 100-100 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. એટલે રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે અંદાજિત 900 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે રાજકોટ પીડિયુ હોસ્પિટલમાં પીએમ મોદી પણ લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. રાજકોટ સહિત આવતીકાલે દેશભરમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન યોજવાનું છે. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂ કરવાના છે. રાજકોટ શહેરમાં અગાઉ 10 સ્થળોએ વેક્સિન આપવામાં આવવાની હતી. જેની જગ્યાએ હવે 6 સ્થળોએ જ વેક્સિન આપવામાં આવશે. જ્યારે રાજકોટ જિલ્લામાં 3 જગ્યાએ આ વેક્સિન આપવાનો કાર્યક્રમ ગોઠવમાં આવશે. રાજકોટ પીડિયુ કૉલેજ ખાતે પીએમ મોદી વર્ચ્યૂઅલ સંવાદ કરશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments