રાજપીપળા, તા.૪
કોરોનાના કેહેર વચ્ચે લોકડાઉન અમલી બન્યું છે, રોજગાર ધંધા ઠપ્પ થઈ પડતા લોકો કપરી સ્થિતિમાં જીવી રહ્યા છે ત્યારે રાજપીપળા પાલિકાએ વેરા વધારાનું તુત ઉભું કરતા શહેરની પ્રજામાં ભારે આક્રોશ ફેલાયો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વેરા વધારા બાબતે એમ કહ્યું હતું કે રાજપીપળાની પ્રજાનો ને મત હશે એ જ મારો મત હશે. બીજી બાજુ નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ વેરો વધારા બાબતે ફેરવિચારણા કરવા પાલિકને પત્ર લખ્યો હતો.રાજપીપળા શહેર ભાજપ, શહેરના વેપારીઓ સહિત અન્ય લોકોએ પણ વેરો વધારો હાલ પૂરતો મુલતવી રાખવા પોતાનો મત આપ્યો હતો. હવે રાજપીપળા પાલિકા દ્વારા શહેરમાં લારી-પથારા વાળાઓનો વેરો હાલ કરતા ૪ ગણો વધારી દેતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજપીપળા પાલિકા દ્વારા એક જાહેર નોટિસ બહાર પડાઈ છે જેમાં જણાવ્યું છે કે રાજપીપળા પાલિકાની માલિકીની જમીન પર લારી,પાથરણા અને ગલ્લા મૂકી ધંધો કરતા લોકોએ હવેથી રોજનું ૨૦ રૂપિયા ભાડુ આપવું પડશે. જો એ મુજબ નહિ અપાય તો લારી,પાથરણા અને ગલ્લા તમારા ખર્ચે-જોખમે ઉઠાવી લેવામાં આવશે.અત્યાર સુધી રાજપીપળા પાલિકા લારી-પથારા વાળાઓ પાસે એક દિવસના ૫ રૂપિયા લેતી હતી, જેના અચાનક ૨૦ રૂપિયા કરી દેવાતા પાલિકા સભ્ય કમલ ચૌહાણ, કવિતા માછી સહિત લારી-પથારા વાળા લોકો રાજપીપળા પાલિકામાં ધસી આવ્યા હતા અને પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલને આ મામલે રજુઆત કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments