ભૂજ, વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલા પીછાળા ગામે પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ આડેસર પોલીસ મથકે નોંધાયો હતો. હત્યા પાછળનું કારણ કાયમી ઘર કંકાસ હોવાનું ફરિયાદમાં જાહેર થયું હતું. આ ઘટનાથી ૭ સંતાનોએ પોતાની માતાને કાયમ માટે ગુમાવી દીધી હતી. આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર પિછાળા ગામનો આરોપી નરસી હરી કોલી છૂટક ખેત મજૂરી કરે છે, જેનો તેની પત્ની અમરત સાથે ગત તા. ૧૨ નવેમ્બરના બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગૃહ કંકાસને લઈ ઝગડો થયો હતો. આ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ પત્નીને ધોકા વડે ઢોર માર માર્યો હતો. જેમાં તેની પત્નીને માથા, પીઠ અને બન્ને પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘાયલ પરિણાતાને સ્થાનિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું ગઈકાલે શુક્રવારે સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થતા હતભાગીના પતિ સામે આડેસર પોલીસ મથકે મૃતકના મોટા ભાઈ રાઘુ સુરાભાઈ કોલીએ હત્યા સહિતના ગુના સબબ ફરિયાદ નોંધાવી હતી. જેના અંતર્ગત આડેસર પોલીસના પીએસઆઇ ભરત રાવલે આરોપીને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments