જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન હોસ્પિટલમાં દાખલ!
24, જુન 2020

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળ્યાનુસાર તેમનો કોરોના ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે.

સરોજ ખાન અંગે જાણવા મળ્યાનુસાર તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો છે. હાલ તેમની હાલત સ્થિર છે આગામી 2 દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

જણાવી દઈએ કે છેલ્લા ચાર દાયકાથી સરોજ ખાન બોલિવૂડમાં સક્રિય છે તેમણે 2 હજારથી વધુ ગીતોમાં કોર્યોગ્રાફી કરી છે. કોરિયોગ્રાફર તરીકે 71 વર્ષીય સરોજ ખાનની છેલ્લી ફિલ્મ 'કલંક' હતી. તેમણે ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution