કોરોના કાળમાં અંકલેશ્વરમાં ઓવરબ્રીજ પરથી રૂપિયા ઉડાડાયા, જાણો શું કહ્યુ..
03, મે 2021

અંકલેશ્ર્વર-

દેશમાં કોરોના સંક્રમણમાં ગરીબ અને અમીર બધા હોસ્પીટલ બેડથી લઈને ઓકસીજનની લાઈનમાં છે તે સમયે અંકલેશ્ર્વરના વાલીયા ચોકડીએ એક વ્યક્તિએ હાથમાં પૈસા ભરેલી થેલીમાંથી રૂપિયાની નોટો ઓવરબ્રીજ પરથી ઉડાડી હતી તે વિડીયો વાયરલ થયો છે. લોકો કોરોના સામે હવે માનસિક સંતુલન પણ ગુમાવી રહ્યા છે તે નિશ્ચીત છે. અંકલેશ્વરમા આ વ્યક્તિએ ઓવરબ્રીજની રેલીંગ પર પડીને બીજી બાજુએથી કોરોનામાં પૈસા કોઈ કામના નથી તેમ કહીને મોટો ઉડાડી હતી. આ વ્યક્તિએ ઓવરબ્રીજ પરથી કુદવાનો પણ પ્રયાસ કર્યો છે પણ પાસે ઉભેલા વ્યક્તિઓએ તેને પકડી રાખીને બચાવ્યો હતો તો કેટલાક થેલીના પૈસા પોતાના ખીસ્સામાં મુકી દીધા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution