શક્તિસિંહ ગોહિલે અબડાસાના લોકોને કહ્યું દ્રોહ કરનારાઓને ક્યારેય માફ ન કરતા
31, ઓક્ટોબર 2020

ગાંધીનગર-

રાજ્યસભા સાંસદ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહે ગોહિલે અબડાસા વિધાનસભાની પ્રજાને સંબોધતા પ્રજા સાથે દ્રોહ કરનારને ક્યારેય માફ ન કરવા વિનંતી કરી છે. સાથે જ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મારી રાજકીય પ્રગતિ માટે અબડાસાની જનતાનો હું આભારી છું. બિહારમાં ચૂંટણી ઈન્ચાર્જ હોવાથી અબડાસામાં નથી આવી શક્યો.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અબડાસા બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પદ્યુમનસિંહ જાડેજા છે. જેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને ગદ્દારી કરીને ભાજપમાં ગયા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે શાંતિલાલ સેંઘાણી છે. અબડાસા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે હનીફ જકાબ છે. શંકરસિંહ વાધેલાએ હનીફ જકાબને જીતાડવા માટે ચૂંટણી પ્રચાર કર્યો છે. આ બેઠક પર ત્રિપાખીયો ચૂંટણી જંગ જામશે. ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution