ભાજપએ મોંઘવારીનો ‘મ’ ગાયબ કર્યો  શર્મા
27, નવેમ્બર 2022

ગાંધીનગર, ગુજરાતની સાડા છ કરોડની જનતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવા કોંગ્રેસ દ્વારા જન ઘોષણા પત્ર જાહેર કર્યું છે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ ભાજપના સંકલ્પ પત્રને દગા પત્ર ગણાવ્યું હતું. ભાજપના સંકલ્પ પત્રમાંથી મોંઘવારીનો ‘મ‘ ગાયબ થઈ ગયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા અપાયેલા વચનોને સરકાર બનતાની સાથે પૂરા કરવામાં આવશે. કોંગ્રેસે છેલ્લા છ મહિનાથી લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોથી માહિતગાર થઈને ૫૦ લાખ કોલ્સ, ૭ લાખ પ્રતિભાવો, ૧૦ હજાર ઈન્ટરવ્યૂ, ૧૮૨ મતવિસ્તારમાં, ૫૦૦૦ ગામડાઓ આવરીને ૬૫ લાખ જનતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાઈને ગુજરાતની ૬.૫ કરોડની જનતાની ઈચ્છા અને આકાંશાઓને સંતોષવા માટે “જન ઘોષણા પત્ર - ૨૦૨૨” રજૂ કર્યું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને “જન ઘોષણા પત્ર - ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છે. ગુજરાતની ઈકોનોમી એક ટ્રીલિયન ડોલરની વાત કરનારા લોકોને એક ટ્રીલિયન પાછળ કેટલા શૂન્ય હોય તે પણ નથી.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution