ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
20, જાન્યુઆરી 2022

ગાંધીનગર, રાજ્યભરમાં કોરોના પ્રોટોકોલની સાથે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથ ખાતે ધ્વજવંદન કરશે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ગીર સોમનાથમાં હાજર રહેશે તો અન્ય મંત્રીઓ પણ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેવાના છે. કોરોનાને લીધે સિમિત લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.

કયા મંત્રી કયા જિલ્લામાં ધ્વજવંદન કરશે

રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુ વાઘાણી રાજકોટમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં, પુરણેશ મોદી બનાસકાંઠામાં, રાઘવજી પટેલ પોરબંદરમાં, કનુભાઇ દેસાઇ સુરતમાં, કિરીટસિંહ રાણા ભાવનગરમાં, નરેશ પટેલ વલસાડમાં, પ્રદીપ પરમાર વડોદરામાં,અર્જુન સિંહ ચૌહાણ પંચમહાલમાં.

રાજયકક્ષાના મંત્રીઓ આ જિલ્લામાં ધ્વજવંદન કરશે

હર્ષ સંઘવી ગાંધીનગરમાં, જગદીશ પંચાલ મહેસાણામાં, બ્રિજેશ મેરજા જામનગરમાં, જીતુ ચૌધરી નવસારીમાં, મનીષા વકીલ ખેડામાં, મુકેશ પટેલ તાપીમાં, નિમિષાબેન સુથાર છોટાઉદેપુરમાં, અરવિંદ રૈયાણી જૂનાગઢમાં, કુબેર ડીંડોર સાબરકાંઠામાં, કીર્તિસિંહ વાઘેલા કચ્છમાં, ગજેન્દ્રસિંહ પરમાર ભરૂચમાં, આરસી મકવાણા અમરેલીમાં, વિનોદ મોરડીયા બોટાદમાં, દેવા માલમ સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution