રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ
13, એપ્રીલ 2021

સુરત-

બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારને કોરોનાના હળવા લક્ષણો જણાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી છે. કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. તેની સાથે સાથે રાજ્ય સરકારના એક પછી એક પ્રધાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારના રોજ બારડોલીના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે કોરોનાના હલકા લક્ષણો દેખાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ RT PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. જેનું પરિણામ આવવાનું બાકી છે. પ્રધાન દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્યની કાળજી લેવા તેમજ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે. હાલ તેઓ બારડોલીના બાબેન ખાતે આવેલા તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution