સુરત-
બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારને કોરોનાના હળવા લક્ષણો જણાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી છે. કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. તેની સાથે સાથે રાજ્ય સરકારના એક પછી એક પ્રધાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારના રોજ બારડોલીના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે કોરોનાના હલકા લક્ષણો દેખાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ RT PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. જેનું પરિણામ આવવાનું બાકી છે. પ્રધાન દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્યની કાળજી લેવા તેમજ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે. હાલ તેઓ બારડોલીના બાબેન ખાતે આવેલા તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments