અંક્લેશ્વર,  અંકલેશ્વર ના એક યુવકે કોરોના કાળમાં પૈસા કોઈ કામના નથી તેમ કહી ઓવરબ્રિજ ઉપર થી રૂપિયા ઉડાવવા લાગ્યો હતો,જેના કારણે લોકોના ટોળા ભેગા થયા હતા,અને યુવકે વાલિયા ચોકડી ઓવરબ્રિજ ની રેલિંગ નીચે ઉતરી આત્મહત્યા નો પ્રયાસ કરતા લોકો એ તેને બચાવી લીધો હતો. વાલિયા ચોકડી ઓવરબ્રિજ ખાતે એક યુવકે બ્રિજની રેલિંગ પર આવી પહોંચી બુમરાણ મચાવી હતી, સાથે જ કોરોના કાળમાં પૈસા કંઈ કામના નથી તેમ કહી પૈસા ઉડાવવા લાગતા લોકોના ટોળા ભેગા થયા હતા, બ્રિજ પર ઉપસ્થિત લોકોએ યુવકને પકડી રાખી તેને સહી સલામત બહાર કાઢ્યો હતો.પ્રાથમિક જાણકારી મુજબ આ યુવક બ્રિજની રેલિંગ નીચે ઉતરી આત્મહત્યાનો પ્રયાસ કરતો હતો અને રૂપિયા ઉડાવતો નજરે પડ્યો હતો. જે સમયે ઉપસ્થિત લોકોએ તેનો વીડિયો ઉતારી લીધો હતો, અને વાયરલ કર્યો હતો.પોતે માનસિક તણાવમાં હોય અને આ પ્રકારનું પગલું ભર્યું હોય તેમ કેટલાક લોકોનું માનવુ છે, આ મામલા અંગે નો વીડિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને ચર્ચાઓએ પણ જાેર પકડ્યુ છે, કે ખરેખર કોરોના જેવી મહામારી માં હવે લોકો પોતે માનસિક રીતે પણ હેરાન થયા હોય તેનો આ પુરાવો હોવાનું લોકો કહી રહ્યા છે.