સુરત: મૂક-બધિર યુગલ ઘરમાં બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવતા ચકચાર
17, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

સુરત શહેરમાં નાનપુરાનાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં મૂક-બધિર યુવક અને યુવતી તેમના ફ્લેટના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે યુવકની બહેન સાંજે ઘરે આવી અને ભાઈ અને ભાભીને શોધવા લાગી તો ફ્લેટમાં ક્યાય દેખાયા નહિ ત્યારે તેને તપાસ કરતા બાથરૂમાં બંને જણા મૃત હાલતમાં મળી આવ્યા હતા, બહેને તરત પોલીસમાં જાણ કરીને પોલીસને ઘરે બોલાવી હતી, જ્યારે બહેને તપાસ કરી ત્યારે બાથરૂમનું બારણું ખુલ્લું મળી આવ્યું હતું, બાથરૂમમાં પાણી ચાલુ હતું અને ગીઝર પણ ચાલુ હાલતમાં મળી આવ્યુ હતું, આજુબાજુના અને સગાવ્હાલાનાં જણાવ્યા પ્રમાણે બંને યુવક અને યુવતિ બહેરા બોબડા હોવાથી તેઓ વાતચીત કરવા માટે કલાકો સુધી સોશિયલ મીડિયામાં ચેટીંગ દ્વારા વાત કરતા હતા.

કહેવામાં આવે છે કે બંને યુગલ એપ્રિલમાં લગ્ન કરવાના હતા, અને અચાનક મૃત્યુ થવાથી પોલીસ અને સગાવ્હાલા ઓ પણ અચંબામાં પડી ગયા છે, એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ગીઝરના ગેસ ગળતરને કારણે બંને જણા નાં મૃત્યુ થયા હોવા જોઈએ, પોસ્ટમોર્ટમ બાદ જ સાચી હકીકત જાણી શકાશે. મૂક-બધિર યુવળ અર્પિત પટેલ અને યુવતી ધૃતિકુમારી ઘરમાં રહીને સાદી ભરવાનું કામ કરતી હતી અને તેમના માતા-પિતાની એકની એક દીકરી હતી, હાલમાં જ તેઓની સગાઇ થઈ હતી અને એપ્રિલમાં તો લગ્ન લેવાનું ધ્રુતીકુમારી નાં પરિવારજનો વિચારી રહ્યા હતા. યુવતી છેલ્લા 5 દિવસથી તેના સાસરીમાં આવીને રહી હતી. યુવક મોલમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution