સુરત-

આ પ્રકરણમાં મૃતક અમિતા જોશીના પિતા નિવૃત્ત જમાદાર બાબુ જોશીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ વ્યાસ તેમ જ સસરા, સાસુ અને બે નંણદો સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવ્યો છે. વૈભવનું અન્ય મહિલા સાથે ચક્કર, અમિતાના રૂપિયા, ફ્લેટ અનેક બાબતે વારંવાર તેને ટોર્ચર કરવામાં આવતી હતી. તેમ જ અમિતાની પાછળ તેના પિતા બાબુભાઈને બદલે વહુનું નામ દાખલ કરવા માટે વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હતી. આ બાબતોનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતમાં મહિલા પીએસઆઈ અમિતા જોશી આપઘાત કેસમાં પતિ અને સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા સબ-ઈન્સ્પેક્ટર અમિતા જોશીએ 10 દિવસ પહેલા ફાલસાવાડી પોલીસ લાઈન ખાતે પોતાના સરકારી કોર્ટમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો.