સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દિનેશ બાંભણિયાની અધ્યક્ષતામાં ગ્રીન ચોક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એલઆરડી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સહિતની માંગો પૂરી ન થતાં યુવાઓમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવકો અને યુવતીઓ આ રેલીમાં જોડાયા હતાં. યુવાઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ કેટલીક માગો કરવામાં આવી હતી. જે માંગો પુરી ન થતાં યુવાઓ રોષે ભરાયાં હતાં. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.