મુંબઈ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થોડા મહિનામાં એક વર્ષ પૂર્ણ થશે. સુશાંતના મોતના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અત્યાર સુધીમાં ઘણા ડ્રગ પેડલર્સ હાથેઆવ્યા છે. મંગળવારે એનસીબીએ ડ્રગ પેડલર સાહિલ શાહના ૨ સાથીઓની ધરપકડ કરી હતી. હવે એનસીબી મુખ્યત્વે આ સાહિલ શાહ પર શંકા કરે છે અને એજન્સી તેને મુખ્ય શંકાસ્પદ માની રહી છે. સાહિલ હજી પણ એનસીબીની પકડમાંથી બહાર છે. સાહિલે એક ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે અને તે હજી ફરાર છે. આ અંગે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમિન વાનખેડેએ જણાવ્યું હતું કે સાહિલ શાહ છેલ્લા ૬ મહિનાથી તેમના માટે એક કોયડો છે. તેણે કહ્યું 'અમે સોમવારે રાત્રે તેના મલાડ ઘરે દરોડો પાડ્યો હતો, જ્યાં તેની માતા અને પત્ની હાજર હતા. સાહિલ પણ તે જ સંકુલમાં રહેતો હતો જ્યાં સુશાંતસિંહ રાજપૂત અગાઉ રહેતો હતો.

જણાવી દઈએ કે સાહિલ કરણ અરોરા અને અબ્બાસ લાખાણીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જેમને ગયા વર્ષે ઓગસ્ટમાં એનસીબીએ ધરપકડ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે કરણ અને અબ્બાસને ૫૯ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. બંને જામીન પર બહાર છે. એનસીબી ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીએ તેના ભાઈ શૌવિક ચક્રવર્ચી સહિત ૩૩ લોકો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. હાલમાં અભિનેત્રી અને તેના ભાઈ જામીન પર બહાર છે. દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન સહિતના ડ્રગ્સના મામલે બોલિવૂડના કેટલાય સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સના કેસમાં બોલિવૂડ ઉપરાંત ઘણા ટીવી સ્ટાર્સના નામ પણ આવ્યા હતા. ગયા વર્ષે આ કેસમાં ઘણી હેડલાઇન્સ બની હતી અને હજી પણ ઘણી વસ્તુઓ બહાર આવી રહી છે.