વિધિના બહાને જામનગરમાંથી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર તાંત્રિક ઝડપાયો
26, જુન 2021

રાજકોટ-

જામનગર તાલુકાના નારણપર ગામમાં એક યુવતીનુ હાલમાં જ અપહરણ થયું હતું. જે અપહરણની પોલીસ ફરિયાદ બાદ, યુવતીએ તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરનારા ઠગ તાંત્રિક ને અમદાવાદમાંથી ઝડપી લીધો હતો. પરિવારને તાંત્રિક વિધિના બહાને યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી એ 6 મહિના અગાઉ તાંત્રિક વિધિના બહાને યુવતીને ફસાવી હતી. વારંવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ યુવતીને પરિવારને મારી નાખવાની ધમકી આપીને ઉઠાવી ગયો હતો. 

જામનગર તાલુકાનાં નારણપર ગામમાંથી એક યુવતી ગુમ થઇ હતી. જેની તેના પરિવાર દ્વારા ગુમ થયાની નોંધ કરાવી હતી. જે ગુમ થયાની નોંધના આધારે પોલીસે તપાસ આદરી હતી. જેમાં યુવતીનું અપહરણ કરનાર તાંત્રિકને ઝડપી લીધો હતો. તાંત્રિક યુવતીને વિધિ કરવાના બહાને અમદાવાદ, જૂનાગઢ, રાજસ્થાન સહિતના અલગ અલગ સ્થળે લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીને અમદાવાદથી અટકાયતમાં લઇને જામનગર આવ્યા બાદ, કોવિડની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભોગ બનનારી યુવતીની તબીબી ચકાસણી કરાઇ હતી. જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution