પાવી જેતપુર
પાવી જેતપુર તાલુકાના હીરપરી ગામનો ત્રણ દીવસથી ગુમ થયેલો યુવાનની ઓરસંગ નદીના પૂલ નીચેથી લાશ મળી આવી છે.પ્રાપ્ત માહીતી અનુસાર પાવી જેતપુર તાલુકાના હીરપરી ગામનો યુવાન અશ્વિન રાઠવા સાસરીમા સામાજિક પ્રસંગમાં જવાનું કહીને નીકળ્યો હતો, નદીના પુલ ઉપરથી જવાના બદલે નદીના રસ્તે ગયો હતો પરંતુ સાંજ સુધી ત્યાં ન પહોચતા ઘરવાળાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. છેલ્લા ત્રણ દીવસથી ગુમ થઈ ગયો. ગઇકાલે સાંજે પાવી જેતપુર ગામના એક આગેવાન નદીના પુલ ઉપર રોજિંદા ક્રમાનુસાર ફરવા ગયા ત્યારે પુલના પીલ્લર પાસે લાશ જોતાં પોલીસને જાણ કરી હતી.પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી જાણવાજોગ ફરીયાદ દાખલ કરી હતી.
જોકે હિરપરી ગામનો યુવક ગુમ થયા અંગે કોઈ માહિતી, અરજી કે ફરિયાદ પાવી જેતપુર પોલીસને કરવામાં ન આવી હોવાનું પી.એસ.આઈ.એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments