મગર ઘરમાં તો ઘૂસ્યો, પણ મંદિર સામે બેસી ગયો
22, ફેબ્રુઆરી 2021

નડિયાદ : ખેડાના માતર નજીકના નગરામાં ગામના સિકોતર માતાજી મંદિરની પાસે રહેતા હસમુખભાઇ પરિવાર સાથે સૂતાં હતાં. તે સમયે મધરાતે મગર આવી ચડ્યો હતો અને માતાજીનાં સ્થાનક નજીક આરામ ફરમાવી રહ્યો હતો. આ જાેઈ હસમુખભાઈ અને તેમનો પરિવાર પણ અચંબામાં મૂકાઈ ગયો હતો. મગર ખોડિયાર માતાજીનું વાહન કહેવાય છે. બે દિવસ પહેલાં જ ખોડિયાર જયંતિની ચરોતરમાં ઉજવણી કરવામાં આવી હતી. જાેકે, મગર શાંતિથી જતો રહેતાં આખરે આ પરિવારે રાહત અનુભવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution