મધ્યપ્રદેશમાં બળાત્કારની ઘટના ખોટી સાબિત થઇ, વિદ્યાર્થીનું જ કાવતરું
21, જાન્યુઆરી 2021

ભોપાલ-

મધ્યપ્રદેશમાં સગીર બાળકીનું અપહરણ, ખૂની હુમલો અને ગેંગરેપની ફરિયાદનો કેસ ખોટો હોવાનું બહાર આવ્યું છે, જેની પુષ્ટિ ખુદ આઈજી હરિનારાયણચારી મિશ્રાએ કરી છે. તેમણે જણાવ્યું કે યુવતી વિરુદ્ધ કલમ 182/211 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં, યુવતીએ છરી મારીને તેને ઈજા પહોંચાડી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે બેટુલ જિલ્લામાં 14 વર્ષની સગીર પર બળાત્કાર કર્યા બાદ આરોપીઓએ નિર્દોષ બાળકીને પત્થરોથી બાંધી દફનાવી દીધી હતી, પરંતુ તે બચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બેતુલમાં, પીડિત ખેતરમાં પંપ શરૂ કરવા ગયી હતી. જ્યારે તે સાંજ સુધી પરત ન આવી ત્યારે માતા-પિતાએ તેની શોધ શરૂ કરી હતી. જ્યારે તે લોકો એક નદી તરફ ગયા, ત્યાં યુવતીના આક્રંદનો અવાજ સંભળાયો. આરોપીએ તેને જીવંત પત્થરો અને કાંટાની વચ્ચે દફનાવી દીધી હતી. પોલીસ દ્વારા કડક પૂછપરછમાં વિદ્યાર્થી તૂટી ગઇ હતી અને ખોટા કેસ નોંધવાની કબૂલાત કરી હતી ત્યારે આ કેસમાં ટ્વિસ્ટ આવ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે - યુવતી તેના પરિચિતોને ફસાવવા માંગતી હતી. યુવતીએ 5 લોકો પર ગેંગરેપનો આરોપ મૂક્યો હતો, પરંતુ યુવતીની વાર્તા શરૂઆતથી પોલીસને હજમ નહોતી થઇ. પોલીસ દ્વારા સખત પૂછપરછ કરવામાં આવી ત્યારે યુવતીએ કહ્યું કે મેં ભૂલ કરી છે. આ સાથે વિદ્યાર્થી માનસિક તાણમાં છે તે બાબત પણ પ્રકાશમાં આવી છે. આ વિદ્યાર્થી અગાઉ ભૂતકાળમાં ચાર વખત કેસ નોંધ્યો છે. આ વખતે પણ તેણે ખોટા કેસ નોંધીને પાંચ લોકોને ફસાવી સ્ટોરી બનાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution