મલયાલમ ફિલ્મ 'જલ્લીકટ્ટુ'ને ભારત તરફથી ઓસ્કારમાં મોકલવામાં આવી
26, નવેમ્બર 2020

મુંબઈ  

મલયાલમ ફિલ્મ 'જલ્લીકટ્ટુ'ને 2021માં થનારા 93માં એકેડેમી એવોર્ડસ માટે મોકલવા માટે સિલેકટ કરવામાં આવી છે.ઓસ્કરની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરી માટે ઈન્ડિયા તરફથી આ ફિલ્મ મોકલવામાં આવશે. 2019માં એકશન ડ્રામાને લિજો જોસ પેલિસેરીએ ડિરેકટ કરી હતી. આ ફિલ્મની સ્ટોરી એક પાડાની આસપાસ ફરે છે જે એક કતલખાનામાંથી ભાગી જાય છે. એને પકડવા માયે કેવી રીતે કેરળનું એક નાનકડું ગામ એની પાછળ પડે છે એના પર આ સ્ટોરી છે.એક મૂંગું પ્રાણી દોડીને કેવી ઉથલપાથલ મચાવે છે અને એને કારણે માનવીના વિવિધ રંગ જોવા મળે છે. આ ફિલ્મનું પ્રીમીયર ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં અને બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને હવે ઈન્ડિયા તરફથી ઓસ્કરની રેસમાં મોકલવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution