દિલ્હી-

હવામાન વિભાગે ઉત્તર ભારત, પૂર્વ ભારત અને મધ્ય ભારતને લઇને હવામાન ખાતાએ જાણકારી આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૩ દિવસમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશામાં વરસાદની સંભાવના છે.

હવામાનની આગાહી એ છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ સહિત બંગાળ અને ઓડિશામાં વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જાેરદાર પવન પણ ફૂંકાશે. આગામી બે દિવસ આ પ્રકારનાં હવામાનની સ્થિતિ ઝારખંડમાં પણ જાેવા મળશે. જ્યારે, બિહાર, બંગાળ અને સિક્કિમમાં આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. આઇએમડીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઉત્તર પૂર્વી ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન જાેરદાર પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. વળી, અરૂણાચલ પ્રદેશમાં પાંચ દિવસ દરમિયાન વીજળી, જાેરદાર પવન અને વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં શનિવારે જુદા જુદા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી.

દક્ષિણ ભારતની વાત કરીએ તો, આગામી ૫ દિવસ દરમિયાન કેરળ, માહે અને તેલંગાણા જેવા રાજ્યોમાં ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત, વાવાઝોડા અને જાેરદાર પવનની આશા પણ છે. કેરળ અને માહેમાં ૧૨ અને ૧૪ એપ્રિલનાં રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય ૧૩ અને ૧૪ એપ્રિલનાં રોજ કર્ણાટકમાં સંભાવના છે. ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન ભારતમાં ૧૯૦૧ પછીનો સૌથી ઓછો વરસાદ રેકોર્ડ થયો હતો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં પ્રિ-મોન્સૂન વરસાદ પણ જાેવા મળી શકે છે.