વડોદરા : શહેરના લાલબાગ બ્રિજ પર આજે સવારે અજાણ્યા વાહનની અડફેટે મોર ઈજાગ્રસ્ત થયાની જાણ ફાયર બ્રિગેજને કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો અને મોરને રેસ્કયુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કર્યો હતો. જાેકે, ઈજાગ્રસ્ત થયેલા મોરનુ મોત નિપજ્યુ હતુ. શહેરના નવલખી કંમ્પાઉન્ડ,લાલબાગ વિસ્તારમાં મોટી સંખ્યામા મોર વસવાટ કરે છે.આજે સવારે એક મોર લાલબાગ બ્રિજ પર આવી ગયો હતો. જાેકે, બ્રિજ પર આવી ગયેલો મોર અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ત્યાથી પસાર થઈ રહેલા રાહદારાીએ આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા લાશ્કરો તુરંત વિંગર ગાડી લઈને લાલબાગ બ્રિજ દોડી આવ્યા હતા. અને અજાણ્યા વાહનની અડફેટે આવી ગયેલા મોરને રેસ્કયુ કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કર્યો હતો.જાેકે, ઈજાગ્રસ્ત થયેલા મોરનુ મોત નિપજ્યુ હતુ.